My Sacsess Story 20.03.2020
![]() |
| રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા (NMMS)માં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ |
રાષ્ટ્રીય શિષ્યવૃતી પરીક્ષા (NMMS) ૨૦૧૯માં પાટણ તાલુકામાં માંડોત્રી પ્રાથમિક શાળાના
વિદ્યાર્થીનીએ મેળવ્યું પ્રથમ સ્થાન
-----------------------
ધોરણ- ૮ની વિદ્યાર્થીની વિધી પરમાર દર માસે
રૂ.૧૦૦૦ની સ્કોલરશીપ ધોરણ- ૧૨ સુધી મેળવશે
--------------------
રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા (NMMS)માં માંડોત્રી અનુપમ
પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ પાટણ તાલુકા તેમજ શાળાનું
ગૌરવ વધાર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ધોરણ-૮ ના
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે નેશનલ
મેરીટ મિન્સ કમ સ્કોલરશીપ એકઝામ (NMMS) યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પાટણ
જિલ્લામાં પણ આ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક
શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર થયું
જેમાં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પરમાર વિધીબેન તથા ભીલ
કૈલાશકુમાર ઉત્તિર્ણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ
પરીક્ષામાં પાસ થયેલ આ બન્ને છાત્રોને ધોરણ ૯ થી ૧૨ સુધી એમ ૪ વર્ષ માટે દર મહિને
એક હજાર રૂપિયાની એટલે કે કુલ ૪૮૦૦૦ની શૈક્ષણિક સહાય સરકાર તરફથી મળશે.
વધુમાં ગૌરવપૂર્ણ બાબત એ છે કે પરમાર વિધી ૧૩૩ ગુણ સાથે
સમગ્ર પાટણ તાલુકામાં પ્રથમ સ્થાને તથા પાટણ જિલ્લામાં ૧૨ માં નંબરે ઉત્તિર્ણ થઇ
ને શાળાનું અને માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા
લેવામાં આવે છે. આ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા ધોરણ-૧૨
પાસ કરે ત્યાં સુધી દર માસે રૂ.૧૦૦૦/- સ્કોલરશીપ આપવામાં આવે છે. વિધીના પિતા મહેશભાઈ
પાટણ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સ્કોલરશીપ મળતા મહેશભાઈને પુત્રીના
વધુ અભ્યાસ માટે આર્થીક સહાય મળી રહેશે.

Post a Comment
Please do not enter any spam link in the comment box.